રાજ્ય સરકારના બજેટમાં કાપ


  • કોરોના મહામારી અને લોકડાઉનને કારણે ગુજરાત સરકારે પ્રથમ વખત વિવિધ વિભાગોની બજેટ ફાળવણીમાં કાપ મુક્યો છે

  • રાજ્યના જુદા-જુદા ખાતાની બજેટ ફાળવણીમાં 6,305 કરોડનો જંગી કાપ મુકવામાં આવ્યો છે. 

  • તેમાં પણ માર્ગ મકાન અને શિક્ષણ વિભાગના બજેટમાં સૌથી વધુ કાપ મુકવામાં આવ્યો છે. 


કયા વિભાગના બજેટમાં કેટલો કાપ ? 

  • માર્ગ અને મકાન વિભાગના બજેટમાં સૌથી વધુ રૂ. 705 કરોડનો ઘટાડો,

  • શિક્ષણ વિભાગમાં રૂ. 600 કરોડ, 

  • ઉદ્યોગમાં રૂ. 542 કરોડ, 

  • ઉર્જા-પેટ્રોકેમિકલ્સમાં રૂ. 504 કરોડ, 

  • ગૃહ વિભાગમાં રૂ. 500 કરોડ

  • નર્મદા વિભાગમાં રૂ. 500 કરોડ, 

  • જળસંપત્તિમાં રૂ. 471 કરોડ, 

  • પંચાયતમાં રૂ. 332 કરોડ,

  • સામાજિક ન્યાય વિભાગમાં રૂ. 200 કરોડ


સ્વૈચ્છિક રીતે જ બજેટ ખર્ચ ઘટાડવા સૂચના અપાઈ

  • ગુજરાત સરકાર ની નાણાકીય સ્થિતિ અંગે ની ચર્ચા બાદ રાજ્યના વિકાસના કામોમાં સ્થગિતતાની પરિસ્થિતિ ઉભી થઇ છે તે સંજોગોમાં રાજય સરકારે વિવિધ વિભાગો સાથે બજેટના કામો-ફાળવણી સહિતના મુદાઓ પર ચર્ચા કરીને ફાળવણી ઘટાડાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 

  • કોરોનાના કારણે ટેક્સની આવક બંધ થઇ જતાં અને આરોગ્ય સહિતના ક્ષેત્રે ખર્ચમાં મોટો વધારો થયો છે, ત્યારે વિવિધ વિભાગની અંદાજપત્રીય માંગની સમીક્ષા કરીને શક્ય એટલો ખર્ચ ઘટાડવા સૂચના આપવામાં આવી હતી. 

  • સ્વૈચ્છિક રીતે જ બજેટ ખર્ચ ઘટાડવા સૂચના આપવામાં અવી હતી. તે અંતર્ગત બજેટ ફાળવણીમાં 6305 કરોડનો ઘટાડો કર્યો છે.


સરકારની આવકમાં 15 ટકાના ઘટાડાનો અંદાજ :

  • સામાન્ય રીતે બજેટ ફાળવણીની સમીક્ષા ડિસેમ્બર મહીનામાં શરૂ થતી હોય છે અને ફેબ્રુઆરી સુધીમાં અંતિમ સ્વરૂપ અપાય છે. 

  • આ વર્ષે પ્રથમ વખત એવું બન્યું છે કે નાણાંકીય વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં જ સમીક્ષા થઈ છે. 

  • લોકડાઉનના સમયગાળામાં મોટાભાગના વિભાગોએ કોઈ ખર્ચ કર્યો ન હતો એટલે દેખીતી રીતે ખર્ચના અંદાજો ઘટાડી દેવામાં આવ્યા છે. 

  • ડિસેમ્બર મહિનામાં નવેસરથી સમીક્ષા કરવામાં આવશે.



Source: દિવ્ય ભાસ્કર