SBI ઇકોરૅપ રીપોર્ટ (જુન-2020)
નાણાકીય વર્ષ 2021માં ભારતની GDP વૃદ્ધિદર 6.8% ઘટે તેવી સંભાવના છે.
જોકે, અનુકૂળ બેઝ ઇફેક્ટને કારણે નાણાકીય વર્ષ 2022માં ભારતીય અર્થવ્યવસ્થામાં રિકવરી વી (V) શેપમાં હશે.
જો આ બેઝ ઇફેક્ટ અસરકારક સાબિત નહીં થાય તો ભારતીય અર્થવ્યવસ્થામાં રિકવરીમાં ચાર વર્ષનો સમય લાગી શકે છે.
રિકવરી માટે ભારતની રાજકોષિય નીતિના પગલાઓને વધુ અસરકારક બનાવવા પડશે.
એશિયન નાણાકીય કટોકટી અને યુરો ઝોન કટોકટી સમયે અન્ય દેશો દ્વારા કરવામાં આવેલી ભૂલોનું પુનરાવર્તન ભારતે કરવું ન જોઈએ.
નાણાકીય વર્ષ 2022માં ભારતની સોવરિન રેટિંગ પણ નીતિગત પગલાઓના આધારે નક્કી થશે.
કોવિડ-19ના પરિણામ સ્વરૂપ સદ્ધર રાજ્યોમાં માથાદીઠ આવકમાં વધુ ઘટાડો થશે. સદ્ધર રાજ્યોમાં એવા રાજ્યો શામેલ છે જેમની માથાદીઠ આવક ભારતની સરેરાશ માથાદીઠ આવક કરતા વધારે છે.
નાણાકીય વર્ષ 2021માં દિલ્હીમાં માથાદીઠ GDP સૌથી વધુ 15.4% અને ચંદીગઢમાં 13.9% ઘટશે.
રાજ્યોની માથાદીઠ GDP પર કોરોનાની અસર
અહેવાલના અન્ય મુખ્ય મુદ્દાઓ :
દેશના કુલ 8 રાજ્યોમાં માથાદીઠ આવક ડબલ આંકડામાં ઘટશે. આ રાજ્યો ભારતના GDPના 47% હિસ્સો ધરાવે છે.
લોકડાઉનથી શહેરી વિસ્તારોમાં વધુ અસર પડશે. શહેરોમાં રેડ ઝોનની સંખ્યા પણ વધુ છે.
શહેરી વિસ્તારોમાં બજારો, શોપિંગ કોમ્પ્લેક્સ અને મોલ્સની આવક વધુ પ્રભાવિત થશે.
બજારો ખુલ્યા પછી પણ ગ્રાહકોની સંખ્યા સામાન્ય કરતા 80% ઓછી રહેશે.
વૈશ્વિક સ્તરે GDPમાં 5.2%નો ઘટાડો થવાની સંભાવના છે.
વૈશ્વિક સ્તરે, માથાદીઠ GDPમાં પણ 6.2%નો ઘટાડો થશે.
Source :
https://sbi.co.in/web/about-us/research-desk
દિવ્ય ભાસ્કર, જુન-2020