આંકડા દિવસ

પૂર્વભૂમિકા  : 

  • ભારત સરકારે 2006થી પ્રો. પી.સી.મહાલાનોબિસના જન્મદિવસ, 29 જૂનને ‘રાષ્ટ્રીય આંકડા દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે.

  • પ્રો. પી. સી. મહાલાનોબિસ (પ્રશાંત ચન્દ્ર મહાલનોબીસ)ની જન્મજયંતિ નિમિત્તે તાજેતરમાં 29 જુન-2020ના રોજ આંકડા દિવસની ઉજવણી કરવામાં આવી.  રાષ્ટ્રીય આંકડાકીય વ્યવસ્થાની સ્થાપનામાં તેમના અમૂલ્ય યોગદાનને બદલ દર વર્ષે આંકડા દિવસ ઉજવવામાં આવે છે. 

  • નોંધનીય છે કે ભારતની બીજી પંચવર્ષીય યોજના (1956-1961) ‘મહાલનોબિસ મોડલ’ પર આધારિત હતી.

તાજેતરની ઉજવણીની મુખ્ય બાબતો :

  • આ વર્ષે વૈશ્વિક રોગચાળાને લીધે, આંકડા દિવસ 2020 વિડિયો કોન્ફરન્સ દ્વારા ઉજવવામાં આવ્યો.

  • આંકડા અને કાર્યક્રમના અમલીકરણ (MoSPI) મંત્રી રાવ ઇન્દ્રજીતસિંહે આંકડા દિવસ, 2020ની સભાને સંબોધન કર્યું હતું.

  • પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદના અધ્યક્ષ ડો. બીબેક દેબરોય અને ભારતીય આંકડાકીય સંસ્થાના અધ્યક્ષ, પ્રો.વિમલકુમાર રોયએ પણ સંબોધન કર્યું હતું.

  • આ ઇવેન્ટ દરમિયાન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ - નેશનલ ઈન્ડીકેટર ફ્રેમવર્ક (NIF) પ્રોગ્રેસ રીપોર્ટ, 2020ના રીપોર્ટનું સંસ્કરણ 2.1 બહાર પાડવામાં આવ્યું.

આ વખતની થીમ : 

  • ‘સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ’ (SDG) - 3 (તંદુરસ્ત જીવનની ખાતરી કરવી અને તમામ વયમાં બધા માટે સુખાકારીને પ્રોત્સાહન આપવું) અને SDG - 5 (જાતિય સમાનતા પ્રાપ્ત કરવી અને તમામ મહિલાઓ અને છોકરીઓનું સશક્તિકરણ કરવું)

Prof. P. C. Mahalanobis National Award :

  • મંત્રાલયે કેન્દ્ર સરકાર, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને સંસ્થાઓમાં સત્તાવાર આંકડાશાસ્ત્રીઓની ઉત્કૃષ્ટ સિદ્ધિઓ માટે એવોર્ડ ‘Prof. P. C. Mahalanobis National Award in Official Statistics’ શરુ કર્યો છે.

  • ભારતના રાષ્ટ્રીય આંકડાકીય પ્રણાલીમાં ફાળો આપવા બદલ ભારતીય રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર ડો. ચક્રવર્તી રંગરાજનને આ વખતનો P. C. Mahalanobis National Award એવોર્ડ એનાયત કરાયો હતો.

Source : AIR News