બ્રિટીશ શાસન હેઠળ ભારતીય અર્થતંત્ર

સ્વતંત્રતાના પૂર્વે (બ્રિટીશ શાસન હેઠળ) ભારતીય અર્થતંત્ર

પૂર્વભૂમિકા :
બ્રિટીશ શાસનની શરૂઆત પહેલા ભારતની અર્થવ્યવસ્થા સ્વતંત્ર હતી. જો કે મોટાભાગના લોકો માટે કૃષિ આજીવિકાનું મુખ્ય સાધન હતું, તેમ છતાં, દેશની અર્થવ્યવસ્થા વિવિધ પ્રકારની ઉત્પાદન પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. ભારત ખાસ કરીને સુતરાઉ અને રેશમ કાપડ, ધાતુ અને કિંમતી પથ્થર-કામ જેવા ક્ષેત્રોમાં હસ્તકલા ઉદ્યોગો માટે જાણીતું હતું. ભારતમાંથી વૈશ્વિક બજારોમાં મોટા પાયે નિકાસો થતી. ત્યારબાદ ભારત બે સદીઓ સુધી બ્રિટિશ શાસન હેઠળ રહ્યું. બ્રિટીશ શાસનનો હેતુ દેશને આર્થિક રીતે લુંટવાનો હતો. બ્રિટનના પોતાના ઝડપથી વિસ્તરતા આધુનિક ઔદ્યોગિકરણ માટે ભારતના કુદરતી સંશાધનોનો ઉપયોગ કર્યો અને દેશનું આર્થિક શોષણ કર્યું

કૃષિ ક્ષેત્ર :
બ્રિટિશ શાસન હેઠળ ભારતનું અર્થતંત્ર મૂળભૂત રીતે કૃષિ આધારિત હતું. દેશની લગભગ 85 ટકા વસ્તી મોટે ભાગે ગામડામાં રહેતી હતી અને આજીવિકા કૃષિમાંથી પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે મેળવતી હતી. જો કે, આટલી મોટી વસ્તી હોવા છતાં, કૃષિ ક્ષેત્રે સ્થિરતાનો તબક્કો રહ્યો. કૃષિ ઉત્પાદકતા નીચી થઈ ગઈ, જો કે વાવેતર હેઠળના કુલ વિસ્તારના વિસ્તરણને કારણે ક્ષેત્રે થોડી વૃદ્ધિ રહી. કૃષિ ક્ષેત્રમાં સ્થિરતા મુખ્યત્વે જમીનદારી પ્રથા અન્વયે બ્રિટીશ સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી જમીન સેટલમેન્ટ સીસ્ટમના કારણે હતી. બ્રિટીશ શાસકોની રેવન્યુ સેટલમેન્ટ શરતો પણ જવાબદાર હતી; મહેસૂલની ચોક્કસ રકમ જમા કરાવવા માટેની તારીખો નક્કી કરવામાં આવતી હતી, જેમાં નિષ્ફળ રહે તો જમીનદરોએ તેમના હક ગુમાવવા પડતા હતા. ઉપરાંત, નીચલા સ્તરે ટેકનોલોજી, સિંચાઇ સુવિધાઓનો અભાવ અને ખાતરોનો નહિવત્ ઉપયોગ, બધાને લીધે કૃષિ ઉત્પાદકતાના નિરાશાજનક રહી અને ખેડુતોની દુર્દશા વધી હતી. અલબત્ત, કૃષિના વ્યવસાયિકરણને કારણે દેશના અમુક વિસ્તારોમાં રોકડ પાકનું પ્રમાણ વધ્યું હતું. પરંતુ આનાથી ખેડુતોને તેમની આર્થિક સ્થિતિ સુધારવામાં ભાગ્યે મદદ મળી શકી કેમ કે, ધાન્ય પાકનું ઉત્પાદન કરવાને બદલે હવે તેઓ રોકડ પાક ઉત્પન્ન કરી રહ્યા હતા જેનો અંતે આખરે બ્રિટિશ ઉદ્યોગો દ્વારા ઉપયોગ થવાનો હતો. સિંચાઈમાં થોડી પ્રગતિ થવા છતાં, જમીનનું ખેડાણ, પૂર નિયંત્રણ, ડ્રેનેજ અને ડિસેલિનાઇઝેશનમાં મૂડીરોકાણ ઓછુ રહ્યું હતું. આમ, ભારતની કૃષિ પછાત રહી હતી.

ઔદ્યોગિક ક્ષેત્ર :
કૃષિના કિસ્સામાં, તેમ ઉત્પાદનમાં પણ, ભારતમાં બ્રિટીશ શાસન હેઠળ નોંધપાત્ર ઔદ્યોગિક વિકાસ સાધી શકાયો નહી. દેશના વિશ્વ વિખ્યાત હસ્તકલા ઉદ્યોગોનું પતન થયું. ભારતને વ્યવસ્થિત રીતે વિઔદ્યોગિકરણ કરવાની નીતિ પાછળ બ્રિટીશ સરકારના મુખ્ય બે ઉદેશ્ય હતા. એક, બ્રિટનમાં આગામી આધુનિક ઉદ્યોગો માટે ભારતને કાચા માલના સપ્લાયર બનાવવું  અને બીજો, ઉદ્યોગોના તૈયાર ઉત્પાદનો માટે ભારતને એક વ્યાપક બજારમાં ફેરવવાનો હેતુ હતો. આમ, કરીને બ્રિટનને મહત્તમ લાભની અપાવવો. સ્વદેશી હસ્તકલા ઉદ્યોગોના ઘટાડાને લીધે ભારતમાં મોટાપાયે બેરોજગારી સર્જાઈ, ભારતમાં બ્રિટનથી સસ્તી ઉત્પાદિત ચીજોની આયાતો વધતી ગઈ. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધ દરમિયાન, આધુનિક ઉદ્યોગ ભારતમાં વિકસવા લાગ્યો, પરંતુ તેની પ્રગતિ ખૂબ ધીમી રહી. શરૂઆતમાં, વિકાસ કપાસ અને શણ મિલોની સ્થાપના સુધી મર્યાદિત હતો. સુતરાઉ કાપડની મિલો મુખ્યત્વે ભારતીયો દ્વારા સંચાલિત હતી જે દેશના પશ્ચિમ ભાગો મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સ્થિત હતી, જ્યારે વિદેશી સંચાલિત શણ મિલો મુખ્યત્વે બંગાળમાં કેન્દ્રિત હતી. ત્યારબાદ, વીસમી સદીની શરૂઆતમાં લોખંડ અને સ્ટીલના ઉદ્યોગો આવવાનું શરૂ થયું. 1907 માં ટાટા આયર્ન અને સ્ટીલ કંપની (TISCO) ની સ્થાપના કરવામાં આવી હતી. ખાંડ, સિમેન્ટ, કાગળ વગેરે ક્ષેત્રોમાં બીજા કેટલાક ઉદ્યોગો બીજા વિશ્વયુદ્ધ પછી આવ્યા. જો કે, જાહેર ક્ષેત્રની કામગીરી રેલ્વે, વીજ ઉત્પાદન, સંદેશાવ્યવહાર, બંદરો અને કેટલાક અન્ય વિભાગીય ઉપક્રમો સુધી મર્યાદિત હતી.

બંગાળમાં કાપડ ઉદ્યોગ : મલમલ એક પ્રકારનું સુતરાઉ કાપડ છે જેનો ઉદભવ સ્થાન બંગાળ છે, ખાસ કરીને, ઢાકા અને તેની આસપાસના સ્થળો (આઝાદી પૂર્વેના સમયગાળા દરમિયાનનું ઢાકા), જે હવે બાંગ્લાદેશની રાજધાની છે. ઢાકાનું મલમલજેણે એક ઉત્કૃષ્ટ પ્રકારના સુતરાઉ કાપડ તરીકે વિશ્વવ્યાપી ખ્યાતિ મેળવી હતી. કેટલીકવાર, વિદેશી મુસાફરો પણ તેનેમલમલ શાહીઅથવામલમલ ખાસતરીકે ઓળખતા હતા જે સૂચવતું કે તે રાજવી માટે ખાસ છે, અથવા તેના માટે યોગ્ય છે.

વિદેશ વેપાર :
બ્રિટીશ શાસન દરમ્યાન ભારત કાચુ રેશમ, કપાસ, ઊંન, ખાંડ, ગળી, શણ વગેરે જેવા પ્રાથમિક ઉત્પાદનોનો નિકાસકાર બની ગયો અને બ્રિટનની  ફેક્ટરીઓમાં ઉત્પાદિત મશીનરી જેવી મૂડીગત વસ્તુઓ તેમજ કપાસ, રેશમ અને ઊનના કપડા જેવા તૈયાર વસ્તુનો આયાતકાર દેશ બની ગયો. ભારતના અડધાથી વધુ વિદેશી વેપાર બ્રિટન સુધી મર્યાદિત હતો જ્યારે બાકીના કેટલાક અન્ય દેશો જેવા કે ચીન, સિલોન (શ્રીલંકા) અને પર્સિયા (ઈરાન) સાથે મંજૂરી આપવામાં આવી હતી. સુએઝ કેનાલની શરૂઆતથી ભારતના વિદેશી વેપાર ઉપર બ્રિટિશ નિયંત્રણ વધુ તીવ્ર બન્યું.  વળી, સમયગાળા દરમિયાન ભારતના વિદેશ વેપારમાં નિકાસ સરપ્લસ ઉત્પાદન હતું. જો કે ખાદ્ય અનાજ, કપડા, કેરોસીન વગેરે ઘણી જરૂરી ચીજ વસ્તુઓ સ્થાનિક બજારમાં ભાગ્યે ઉપલબ્ધ હતી.

વસ્તી વિષયક સ્થિતિ :
બ્રિટીશ સાશનમાં ભારતની વસ્તી વિશેની વિવિધ વિગતો સૌ પ્રથમ 1881 માં વસ્તી ગણતરી દ્વારા એકત્રિત કરવામાં આવી હતી. જો કે, કેટલીક મર્યાદાઓનો લીધે ભારતની વસ્તી વૃદ્ધિમાં વિષમતાઓ જોવા મળી. ત્યારબાદ, દર દસ વર્ષે પ્રકારની વસ્તી ગણતરી કામગીરી કરવામાં આવતી. 1921 પહેલાં, ભારત વસ્તી વિષયક સંક્રમણના પ્રથમ તબક્કામાં હતું. સંક્રમણનો બીજો તબક્કો 1921 પછી શરૂ થયો. જો કે, તબક્કે ભારતની કુલ વસ્તી તેમજ  વસ્તી વૃદ્ધિ દર નીચા રહ્યા. વિવિધ સામાજિક વિકાસ સૂચકાંકો પણ ખૂબ પ્રોત્સાહક હતા. એકંદરે સાક્ષરતાનું પ્રમાણ 16 ટકાથી ઓછું હતું. તેમાંથી સ્ત્રી સાક્ષરતાનું સ્તર લગભગ 7 ટકાના નજીવા સ્તરે હતું. જાહેર આરોગ્ય સુવિધાઓ ક્યાં તો મોટી સંખ્યામાં વસ્તી માટે ઉપલબ્ધ હતી અથવા જ્યારે ઉપલબ્ધ હોય ત્યારે ખૂબ અપૂરતી હતી. પરિણામે, પાણી અને વાયુજન્ય રોગો પ્રબળ બન્યા હતા અને લોકોને ભારે હાલાકી વેઠવી પડી હતી. એકંદરે મૃત્યુ દર ખૂબ ઊંચો હતો અને તેમાં, ખાસ કરીને શિશુ મૃત્યુ દર પ્રતિ હજારે 218 જેટલો ખુબ વધુ હતો. સરેરાશ અપેક્ષિત  આયુષ્ય 44 વર્ષ જેટલું ખૂબ નીચું હતું. વિશ્વસનીય માહિતીના અભાવમાં, તે સમયે ગરીબીનું પ્રમાણ ચોક્કસ પ્રમાણ નક્કી કરવી મુશ્કેલ હતું પરંતુ તેમાં કોઈ શંકા નથી કે સમયગાળા દરમિયાન ભારતમાં વ્યાપક ગરીબી પ્રવર્તતી હતી.

વ્યાવસાયિક માળખું :
બ્રિટીશ સાશન દરમિયાન, ભારતની વ્યવસાયિક રચના, એટલે કે, વિવિધ ઉદ્યોગો અને ક્ષેત્રોમાં કાર્યરત વ્યક્તિઓનું વિતરણ, પરંપરાગત રહ્યું હતું. કૃષિ ક્ષેત્રમાં કામ કરનારાઓનો સૌથી મોટો હિસ્સો 70-75% રહ્યો, જ્યારે ઉત્પાદનનો હિસ્સો 10 % અને સેવા ક્ષેત્રનો હિસ્સો 15-20% ટકા રહ્યો. બીજુ આશ્ચર્યજનક પાસું વ્યાપક પ્રાદેશિક વિવિધતાનું રહ્યું. તત્કાલીન મદ્રાસ પ્રેસિડેન્સીના ભાગો (હાલના રાજ્યોના તમિળનાડુ, આંધ્રપ્રદેશ, કેરળ અને કર્ણાટકના વિસ્તારો), બોમ્બે અને બંગાળના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારા સાથે કૃષિ ક્ષેત્રે કામ કરતી વસ્તીમાં ઘટાડો જોવા મળ્યો હતો. અને સેવાઓ ક્ષેત્રોમાં થોડો વધારો નોધાયો. જો કે, ઓરિસ્સા, રાજસ્થાન અને પંજાબ જેવા રાજ્યોમાં કૃષિ ક્ષેત્રમાં કામ કરતી વસ્તીનો હિસ્સો વધ્યો હતો.

આંતર માળખું :
બ્રિટીશ સાશન દરમિયાન, રેલવે, બંદરો, જળ પરિવહન, પોસ્ટ્સ અને ટેલિગ્રાફ જેવા મૂળભૂત માળખાગત વિકાસ થયો. જો કે, વિકાસ પાછળનો વાસ્તવિક ઉદ્દેશ લોકોને મૂળભૂત સુવિધાઓ પ્રદાન કરવાનો નહીં પણ વિવિધ વસાહતી (COLONIAL) હિતોને બચાવવાનો હતો. બ્રિટિશ શાસનના આગમન પહેલા ભારતમાં બાંધવામાં આવેલા રસ્તાઓ આધુનિક પરિવહન માટે યોગ્ય હતા. જે રસ્તાઓ બનાવવામાં આવ્યા હતા તે મુખ્યત્વે ભારતની અંદર સૈન્યને એકત્રીત કરવા માટે હતા અને રેલ્વે સ્ટેશન અથવા બંદર કાચા માલને ઇંગ્લેન્ડ અથવા અન્ય વિદેશી સ્થળોએ મોકલવાનાં હેતુસર બનાવવામાં આવ્યાં હતાં. વરસાદની ઋતુ દરમિયાન ગ્રામીણ વિસ્તારોમાં પહોંચવા માટે રસ્તાઓમાં પુરના પાણીની  સમસ્યા હતી તેથી બ્રિટિશરોએ 1850 માં ભારતમાં રેલ્વેની શરૂઆત કરી હતી, જેને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રેલવેએ ભારતીય અર્થવ્યવસ્થાને બે અસર કરી, (1) લોકોએ લાંબા અંતરની મુસાફરી કરી શક્યા અને તેથી  ભૌગોલિક અને સાંસ્કૃતિક અવરોધો ઘટ્યા. (2) ભારતીય કૃષિના વેપારીકરણને પ્રોત્સાહન આપ્યું જેણે ગામડાની અર્થવ્યવસ્થાઓની આત્મનિર્ભરતા પર પ્રતિકૂળ અસર કરી. ભારતની નિકાસનું પ્રમાણ વધ્યું હતું પરંતુ તેના ફાયદાઓ ભાગ્યે ભારતીય લોકોને થયા. રેલ્વેની રજૂઆતને કારણે ભારતીય લોકોએ જે સામાજિક લાભ મેળવ્યો, તે દેશની વિશાળ આર્થિક ખોટથી વધી ગયો. રસ્તાઓ અને રેલ્વેના વિકાસની સાથે, વસાહતી વિક્ષેપમાં પણ અંતરિયાળ વેપાર અને દરિયાઈ માર્ગો વિકસાવવા માટેના પગલા લેવામાં આવ્યા હતા. જો કે, પગલાં સંતોષકારક હતા. ઓરિસ્સાના દરિયાકાંઠે નહેરના કિસ્સામાં આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પણ કેટલીકવાર બિનઅસરકારક સાબિત થયા હતા. જો કે કેનાલ સરકારી તિજોરી માટે ખૂબ મોટા ખર્ચે બનાવવામાં આવી હતી, તેમ છતાં, તે રેલ્વેની સાથે સ્પર્ધા કરવામાં નિષ્ફળ ગઈ. ભારતમાં ઇલેક્ટ્રિક ટેલિગ્રાફની ખર્ચાળ સિસ્ટમની શરૂઆત મુખ્યત્વે  કાયદો અને વ્યવસ્થા જાળવવાના હેતુ માટે થઈ હતી. બીજી બાજુ, ટપાલ સેવા જાહેર હેતુ માટે ઉપયોગી રહી પરંતુ અપૂરતી રહી.

મુખ્ય મુદ્દાઓ  :
·    ભારતે તેની સ્વતંત્રતા પ્રાપ્ત કરી ત્યાં સુધીમાં, બે સદીના લાંબા બ્રિટીશ વસાહતી શાસનની અસર ભારતીય અર્થવ્યવસ્થાના તમામ પાસાઓ પર પહેલેથી રહી છે.  
·      કૃષિ ક્ષેત્ર પહેલાથી અધિશેષ  મજૂર અને અત્યંત ઓછી ઉત્પાદકતા રહ્યા છે.
·      ઔદ્યોગિક ક્ષેત્ર આધુનિકરણ, વૈવિધ્યકરણ, ક્ષમતા નિર્માણ અને જાહેર રોકાણ વધી શક્યું નહી.
·      બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિને પોષવા ભારતમાંથી વિદેશી વેપાર શરુ કરવામાં આવ્યો હતો.
·    ભારતના વિશ્વ વિખ્યાત હસ્તકલા ઉદ્યોગોનું પતન થયું, તેમાં કોઈ નોંધપાત્ર આધુનિક પરિવર્તન કરવામાં આવ્યું નહીં.
·       રેલ્વે નેટવર્ક સહિતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓનો વિકાસ જમા પાસું રહ્યું.
·      વસાહતી સાશન હેઠળ, સરકારની આર્થિક નીતિઓ ભારત અને તેના લોકોની આર્થિક સ્થિતિ સુધારવાને બદલે  બ્રિટીશ આર્થિક હિતોના રક્ષણની હતી.
·     ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ સુધારવા માટે કેટલાક પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ પ્રયત્નો સ્વાર્થી ઉદ્દેશથી કરવામાં આવ્યા હતા.
·      ગરીબી અને બેરોજગારી નિવારવા માટે કોઈ ચોક્કસ જાહેર આર્થિક નીતિનો અમલ શક્ય બન્યો નહી.
·     ટૂંકમાં, દેશ બ્રિટીશ સાશન દરમ્યાન દેશમાં મોટા પ્રમાણમાં સામાજિક અને આર્થિક પડકારો પ્રવર્તમાન હતા.